પોતાના જ પગ પર કુહાડી.
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
માબાપની લાગણી છે
છલકતું સરોવર,માબાપની ભાવના છે ભરપુર વહેતી નદી,
માબાપની મમતા
નિર્વ્યાજ અને નિસ્વાર્થ, રહે છે એવી ને એવી જ સદીઓની સદી.
સદભાગી સંતાનો
પ્રેમથી અને સત્કર્મોથી સીંચીને એને, જલસા
સરેઆમ કરે છે,
દુર્ભાગી સંતાનો
નફરતથી અને ધૂત્કારથી, પોતાના જ ભાગ્યની કત્લેઆમ કરે છે.
‘માવતર કમાવતર ન
થાય’ એ વાતનો દુરુપયોગ સંતાનો કરે છે અને પછી,
‘કર્મના ફળ કોઈને
છોડતા નથી’ એ હકીકત મુજબ કર્મના ફળ એ લોકો
ભરે છે.
દિમાગમાં ચાલતા
કૂટઉધોગો અને મનના વિચાર નામની ગટરની ગંદકી વહાવીને,
માબાપની આશિષથી
વંચિત રહીને, જાણ્યે અજાણ્યે પોતાના જ પગ પર કુહાડી મારે છે.
No comments:
Post a Comment