Wednesday, 8 July 2020


પોતાના જ પગ પર કુહાડી.                પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

માબાપની લાગણી છે છલકતું સરોવર,માબાપની ભાવના છે ભરપુર વહેતી નદી,
માબાપની મમતા નિર્વ્યાજ અને નિસ્વાર્થ, રહે છે એવી ને એવી જ સદીઓની સદી.

સદભાગી સંતાનો પ્રેમથી અને સત્કર્મોથી સીંચીને એને,  જલસા સરેઆમ કરે છે,
દુર્ભાગી સંતાનો નફરતથી અને ધૂત્કારથી, પોતાના જ ભાગ્યની કત્લેઆમ કરે છે.

‘માવતર કમાવતર ન થાય’ એ વાતનો દુરુપયોગ સંતાનો કરે છે અને પછી,
‘કર્મના ફળ કોઈને છોડતા નથી’ એ હકીકત  મુજબ કર્મના ફળ એ લોકો ભરે છે.

દિમાગમાં ચાલતા કૂટઉધોગો અને મનના વિચાર નામની ગટરની ગંદકી વહાવીને,
માબાપની આશિષથી વંચિત રહીને, જાણ્યે અજાણ્યે પોતાના જ પગ પર કુહાડી મારે છે.


No comments:

Post a Comment

  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...