Wednesday, 8 July 2020


લાગણીનો સંબંધ  પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

ફેસબુક પર ફોટા મુક્યા છે એણે,
સુંદર મનોહર રમણીય પ્રવાસના,

કેટલી ખુશખુશાલ લાગે છે એ,
જીવનસાથીના સાથ અને સહવાસમાં.

ભલે રહે ખુશ સૌને હક્ક છે,
જીવનમાં સુખી ખુશખુશાલ થવાનો,

પણ હક્ક એને આપ્યો કોણે,
કોઈની સાચી લાગણી સાથે ખેલવાનો?

મારા નામની વ્યક્તિ સાથે જીવનમાં,
સંબંધનું સ્મરણ એને હોય કે ન હોય,

‘તારા વગર ક્ષણભર જીવી નહીં શકું’,
એના વચનો હું કેવી રીતે ભૂલી જવાનો?

No comments:

Post a Comment

  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...