લાગણીનો સંબંધ પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
ફેસબુક પર ફોટા મુક્યા છે એણે,
સુંદર મનોહર રમણીય પ્રવાસના,
કેટલી ખુશખુશાલ લાગે છે એ,
જીવનસાથીના સાથ અને સહવાસમાં.
ભલે રહે ખુશ સૌને હક્ક છે,
જીવનમાં સુખી ખુશખુશાલ થવાનો,
પણ હક્ક એને આપ્યો કોણે,
કોઈની સાચી લાગણી સાથે ખેલવાનો?
મારા નામની વ્યક્તિ સાથે જીવનમાં,
સંબંધનું સ્મરણ એને હોય કે ન હોય,
‘તારા વગર ક્ષણભર જીવી નહીં શકું’,
એના વચનો હું કેવી રીતે ભૂલી જવાનો?
No comments:
Post a Comment